કપિલ દેવના ઘમંડ વાળા નિવેદન સામે રવિન્દ્ર જાડેજાની પ્રતિક્રિયા

By: nationgujarat
01 Aug, 2023

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું માનવું છે કે તમામ સાથી ખેલાડીઓ ખૂબ મહેનત કરે છે અને તેમાંથી કોઈને પણ કોઈ પ્રકારનો અભિમાન કે અહંકાર નથી. હાલમાં જ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવે કહ્યું હતું કે વર્તમાન ભારતીય ટીમના ખેલાડીઓમાં ઘણો અહંકાર છે અને તેઓ ઘમંડી છે. ભારતીય ક્રિકેટ ટીમ હાલ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે ટેસ્ટ શ્રેણી 1-0થી જીતી હતી જ્યારે વનડે શ્રેણી હાલમાં 1-1થી બરાબર છે અને શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક વનડે આજે રમાશે. ત્રીજી વન-ડે પહેલા જ્યારે રવિન્દ્ર જાડેજાને આ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે આરામથી જવાબ આપ્યો હતો, પરંતુ તેના જવાબમાં નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી હતી.

સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ વિમલ કુમારે રવિન્દ્ર જાડેજાને પૂર્વ ક્રિકેટરોના નિવેદનો વિશે પૂછ્યું, જેના પર જાડેજાએ કહ્યું, ‘ટીમ ઈન્ડિયા હારે ત્યારે આવા નિવેદનો આવે છે. ભૂતપૂર્વ ખેલાડીઓ પોતાની વાત રાખી શકે છે, પરંતુ ટીમની અંદર એવું કંઈ નથી. ટીમમાં અહંકાર કે અભિમાન નથી. દરેક ખેલાડી સખત મહેનત કરે છે, દરેક ખેલાડી ટીમ માટે સારું કરવા માંગે છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બે વનડેમાં ઘણા પ્રયોગો કર્યા છે. આ અંગે રવિન્દ્ર જાડેજાએ જણાવ્યું કે આ પાછળ ટીમ મેનેજમેન્ટનો શું ઈરાદો છે.

જાડેજાએ કહ્યું કે, ‘કપ્તાન અને ટીમ મેનેજમેન્ટ જાણે છે કે ક્યા કોમ્બિનેશનની જરૂર છે, તેઓ જાણે છે કે કઈ પ્રકારની પ્લેઈંગ ઈલેવન હોવી જોઈએ. અમે પહેલાથી જ નક્કી કરી લીધું છે કે એશિયા કપમાં અમારે કયું સંયોજન હશે. આ સીરીઝ એશિયા કપ અને વર્લ્ડ કપ પહેલાની સીરીઝ છે, જ્યાં આપણે નવા પ્રયોગો કરી શકીએ છીએ, નવા કોમ્બિનેશનનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે આપણે એશિયા કપ કે વર્લ્ડ કપ રમવા જઈશું ત્યારે આ પ્રયોગ આપણે કરી શકીશું નહીં. તે સારી વાત છે કે અમને ટીમની મજબૂત બાજુ અને ટીમનું સંતુલન પણ જાણવા મળશે.


Related Posts

Load more